જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-5 ....🙏જય સ્વામિનારાયણ🙏

1.દયાના બે પ્રકાર છે:

  2.1 લૌકિક: આ લોકમાં દેહે કરીને સુખિયો રહે એવી દયા. એ દયાએ કરીને જીવનું પરલોક બગડે અને એને બંધન થાય છે.

  2.2 અલૌકિક: દેહ અને દેહસંબંધી પદાર્થ અને વ્યક્તિઓ તથા અહીંથી લઈને પ્રકૃતિપુરુષ સુધીના દરેક વસ્તુ-પદાર્થમાંથી પ્રીતિ તોડાવીને ભગવાનને વિષે પ્રીતિ કરાવે અને પછી ભગવાનના સ્વરૂપને વિષે જોડે એ દયા. એવી દયા તો ભગવાન તથા ભગવાનના એકાંતિક સાધુને વિશે જ હોય છે.


3.મા-બાપ તથા વડીલોએ તેમના બાળકો તથા કુટુંબીજનોનો સ્વભાવ બગડે, કુટેવો પડે કે પરલોક બગડે એવી દયા ન કરવી જોઈએ.


4.જે મા-બાપ પોતાના સંતાનોનો ભણતર કે ધંધામાં સમય બગડે એવા બહાના હેઠળ સંતાનોને સત્સંગ નથી કરવા દેતા તેઓને અંતે ઘણું દુઃખી થવું પડશે.


5.સંતાનોની અજ્ઞાનભરી માંગણીઓને પુરી ન કરતા તેમને કુનેહથી સમજાવીને સદ્દમાર્ગે અને સંસ્કારી રાખવાની આવડત મા-બાપમાં હોવી જોઈએ.

6.બધા એમ કહે છે કે મા-બાપને ભૂલશો નહીં પણ ખરેખર તો પહેલા મા-બાપે સંતાનોને સંસ્કાર દેવાનું ભૂલવું જોઈએ નહીં કેમ કે જો બાળકો સંસ્કારી હશે તો જ મા-બાપની સેવા કરશે.


7.આપણે આપણા મા-બાપ સાથે જેવું વર્તન કરીશું તેવું જ વર્તન આપણા બાળકો આપણી સાથે કરશે.


8.મોટાને વિવશ કરીને એમની પાસેથી આ લોકની માન-મોટપ સંબધી દયા લેવી નહીં, નહીતો છેવટે પારાવાર દુ:ખી થવું પડશે.

▶ સ્વામિનારાયણ ના  ગ્રુપમાં જોડવો નીચે લીંક ટચ કરો...અને ગમે તો શરે જરૂર કરજો🙏


 WHATSAPP GROUP:-https://chat.whatsapp.com/DYV4yXLdn091JVJZAcV8hF

FACEBOOK PAGE:-https://www.facebook.com/Jay-Swaminarayan-362627597618114/

Comments

Post a Comment

Popular posts from this blog

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....