જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-3 ....🙏જય સ્વામિનારાયણ🙏

1.મહારાજની ઇચ્છા હોય તો રાજી થઈને પોતે પારાવાર પીડા સહન કરી લેનારા, મહારાજની મરજીનું સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપ એવા આપણા દાદાગુરુ રાધારમણ સ્વામી જેવા તો લાખોમાં ભાગ્યે જ કોઈક હોય છે.

2.પરિવારજનોને જરૂર પૂરતુ દઈને પોતાના માથા સહિત બાકીનું બધું જ કેવળ ભગવાન અને સંતોને દઈ દેનારા ભક્તો કાળ, કર્મ અને માયા તરી ગયા છે અને આજે સત્સંગમાં આવા કેટલાય ભક્તો છે.

3.આપણા વખાણ થાય ત્યારે એમાંનું આપણામાં કેટલું છે એનું સંશોધન કરવું અને આપણે હવે આવા થવાનું છે તેવો  ઉપદેશ ગ્રહણ કરવો તો આપણને માન ન આવે.
4.આપણે બીજું ગમે તેટલું કરીએ પણ સંતો-ભક્તોનો મહિમા નહીં સમજીએ તો આનંદમાં નહીં રહી શકીએ.

5.ગોપાળાનંદસ્વામીએ વાડીમંદિરમાં પાંચ ભક્તોના આગ્રહને કારણે એક જ દિવસે અને એક જ ટાણે પાંચેયની રસોઈ કરાવીને સાધુ, બ્રાહ્મણ અને ઉત્સવિયા ભક્તોને જમાડી. પછી જમનારાઓને પાંચ દિવસ અને પાંચ રાત સુધી સતત ધૂન-ભજન અને કથા કરાવી અને એ દરમિયાન કોઈને ભૂખ અને તરસ લાગવા દીધા નહીં.

▶સ્વામિનારાયણ ના  ગ્રુપમાં જોડવો નીચે લીંક ટચ કરો...અને ગમે તો શરે જરૂર કરજો🙏


Comments

Popular posts from this blog

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....