આજ નો સંદેશો.......જય સ્વામિનારાયણ🙏🙏

પૂ. ગુરૂજી
1.સત્પુરુષનો સંબંધ આપણને માત્ર આ લોકમાં જ મોટા નથી બનાવતો પણ એ તો પિંડ-બ્રહ્માંડ ને ખોટા કરીને પુરુષોત્તમનારાયણનો સંબંધ કરાવી દે છે.

2.દેવ-દેવીઓ,ઈશ્વરો કે આ લોકના ધનવાનો આપણને નાશવંત વસ્તુઓ આપી શકે છે જ્યારે શાશ્વત આનંદ તો માત્ર ભગવાનના સાધુ જ આપી શકે છે.

3.જેને ભગવાનનો મહિમા સમજાય ગયો છે એના જેવો આ બ્રહ્માંડમાં કોઈ સુખી નથી.

4.જ્યાં વધુ માયા ભેગી થાય છે ત્યાં માયા તોફાન કરે છે અને તેને ઝપટમાં લે છે.

5.જે પોતે ભગવાનમાં જોડાયા હોય એ જ બીજાને ભગવાનમાં જોડી શકે છે.

6.દેહથી યુક્તપણું છે એ જ બદ્ધપણું છે અને મૂર્તિથી યુક્તપણું છે એ જ મુક્તપણું છે.

7.હું પુરૂષોત્તમનારાયણનો દાસ છું એવું અભિમાન ધારણ કરવું અને મૂર્તિધારી મહાત્મા થવું એ જ આપણો જીવન ધ્યેય છે.

8.જે આપણા દુઃખદાયી સ્વભાવો છોડાવીને આપણને શ્રીહરિના મહાઆનંદમાં જોડતા હોય એવા સંતો ભક્તોને જીવના સાચા સગા માનીને એમને માટે કુરબાન થઈ જઈએ તો ભગવાન મળે.

9.પ્રદુષણ, વીજળી કે પાણી બચાવ અને જીવ-દયાના નામ ઉપર આપણાં હિંદુ તહેવારોને રોકવાના મેસેજ કે વીડિયો કલીપ શેર કરીએ એટલા આપણે મૂર્ખ છીએ.

10.આમોદના લક્ષ્મીરામ ભટ્ટના પૌત્ર મૂળજી ભટ્ટ, લોધિકા નરેશ અભેસિંહ દરબાર, ગણોદના અભેસિંહ દરબાર, મેંગણીનરેશ માનભા, વડોદરાના રામચંદ્ર વૈદ્ય, શોભરામ શાસ્ત્રી, સદાશિવભાઈ પાઠક, ઉમૈયાબા જેવા અનેક ભાઈ-બહેનોને ગોપાળાનંદસ્વામીની કૃપાથી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ હતી.

🙏જય સ્વામિનારાયણ🙏
ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં

Comments

Popular posts from this blog

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....